વાડીનાર સરપંચ હસ્તકના ૯પ લાખના સીસી રોડ મંજુર

  • January 31, 2023 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામે સરપંચની રજૂઆત અને મહેનતથી વાડીનારના સ્મશાનના ૯પ (પંચાણું) લાખના આઇઓસીએલ કંપનીમાંથી રોડ મંજુર સરપંચ દ્વારા વાડીનારના વિકાસ માટે આઇઓસીએલ કંપનીને રજૂઆત કરેલ હતી. તેની મોટી સફળતા મળી છે અને આઇઓસીએલ કંપની દ્વારા સ્મશાનની સીસી રોડ પાસ કરી તેનું ખાતમુર્હુત વાડીનારના સરપંચ વિજયસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું.


શ્રીફળ વધારાયું તેમાં વાડીનારના સરપંચ, ગ્રામજનો તેમજ આઇઓસીએલના અધિકારી ઉપસ્થિત રહ્યા અને સરપંચના માર્ગદર્શન હેઠળ કામ ચાલુ કરવામાં આવ્યું. તેમજ વાડીનારના વિકાસ માટે વિજયસિંહ જાડેજાએ બાંયેધરી આપી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application