બાલાસોર ટ્રેન અકસ્માતનો મામલો સુપ્રીમ કોર્ટે પહોચ્યો, આ વસ્તુની કરી માંગ

  • June 04, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલ અકસ્માતની તપાસનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આવી દુર્ઘટના હવે ન થાય તે માટે 'કવચ' સિસ્ટમ વહેલી તકે લાગુ માંગ કરી છે. 


ઓડિશાના બાલાસોરમાં 2 જૂને ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો હતો, જેમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા.બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. વિશાલ તિવારી નામના વકીલે આ મામલે અરજી દાખલ કરી છે. આ આવેદનપત્રમાં અકસ્માત નિવારણ 'કવચ' પધ્ધતિ વહેલી તકે અમલી બનાવવા માંગ કરવામાં આવી છે.


આ સાથે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ બનાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે સુરક્ષાને લઈને પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application