જામનગરમાં લાલ પરિવાર દ્વારા રકતદાન કેમ્પ

  • May 13, 2024 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ કરતી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ  લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજયના પૂર્વ રાજયમંત્રી શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પૂણ્યતિથિને અનુલક્ષીને આગામી તા.૧૫-૦૫-૨૦૨૪ ને બુધવારે સાંજે ૫-૦૦ થી ૮-૦૦ દરમ્યાન લોહાણા મહાજનવાડી (બદિયાણી વિંગ,  પંચેશ્વર ટાવર) ખાતે ૨કતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 
જામનગર શહે૨માં ૨કતદાનની પ્રવૃતિને વધુને વધુ વેગવંતી બનાવવાના ધ્યેય સાથે ઉપરાંત જરૂરીયાતમંદ દર્દીઓને સમયસ૨ ૨કત મળી રહેવા તેવા શુભ આશ્રય સાથે અમારા ટ્રસ્ટો દ્વા૨ા થોડા થોડા સમયાંતરે ૨કતદાન  કેમ્પનું આયોજન કરાઈ રહયું છે. જેના ભાગરૂપે આગામી તા.૧૫-૦૫-૨૦૨૪ ને બુધવારે સાંજે રકતદાન કેમ્પ  આયોજીત કરવામાં આવ્યો છે. આ સેવાયજ્ઞમાં સર્વે હાલા૨વાસીઓને જોડાઈને રકતદાન જેવું મહાદાન કરીને  પવિત્ર ફરજ અદા કરવા માટે ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર એચ.લાલ (જીતુ લાલ) દ્વારા અનુરોધ કરાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application