ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર તાલીમ કાર્યક્રમ સમાપન

  • May 11, 2023 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમનુ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ.

આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામોમાંથી ૩૦ જેટલા બી.પી.એલ તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો.અતિથિ વિશેષગણએ તાલીમ કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું. તાલીમાર્થીઓ બહેનોને પગભર થવા વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા તેમજ શુભેચ્છા પાઠવવામા આવી હતી.

તા.૧૦.૦૪.૨૦૨૩ થી ૦૯.૦૫.૨૦૨૩ ના રોજ તાલીમ કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવેલ હતું. આ સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ ડી.આર.ડી.એ ભાવનગરના એપીએમ વૈષ્ણવીબેન તથા એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ડાયરેક્ટર રમેશકુમાર રાઠોડ, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ફેકલ્ટી નિલેષભાઇ બરોલીયા, ઓફીસ આસીસ્ટન્ટ ઇશાનભાઇ કલીવડા તથા જયેશભાઇ ગોહિલ તેમજ સ્ટાફ ડી. જી. પઠાણ અને સંજયભાઇ શુક્લ તેમજ ગેસ્ટ ફેકલ્ટી માલાબેન ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application