ગુજરાતના સુંદર અને સ્વચ્છ દરિયાકિનારા,જ્યાં શિયાળાની ઋતુ મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે

  • January 09, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  
ડેસ્ટીનેશનના નામ પર લોકોના મનમાં પહેલું નામ  ગોવાનું જ આવે છે અને તેમાં કોઈ શંકા નથી કે ગોવામાં સૌથી વધુ આનંદદાયક દરિયાકિનારા છે. લોકો ફુલ-ઓન મોજ કરવા માટે બીચ ડેસ્ટિનેશન પર જાય છે. મતલબ કે જ્યાં પાર્ટીનો માહોલ હોય ત્યાં તમે સુંદર નજારો જોઈ શકો છો,ફોટો ક્લિક કરી શકો છો અને એડવેન્ચર એક્ટિવિટીઝનો આનંદ માણી શકો છો, પરંતુ જો તમે એવા થોડા લોકોમાંથી છો કે જેઓ શાંતિની શોધમાં બીચ પર જાય છે, તો ગોવામાં એવું નથી... આ માટે તમારે ગુજરાત તરફ આવવું પડશે.જી હા, ગુજરાતમાં પણ ઘણા એવા બીચ છે, જે સુંદરતા અને શાંતિ બંનેની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. અહીં તમે પરિવાર, મિત્રો અથવા પાર્ટનર સાથે આવવાનું પ્લાનિંગ કરી શકો છો.


હાલ  ગુજરાતમાં રણ ઉત્સવ પણ ચાલી રહ્યો છે, જે અહીંનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર ત્રણ મહિના સુધી ચાલે છે અને માત્ર શિયાળામાં જ આયોજિત કરવામાં આવે છે. ગુજરાતની મુલાકાત લેવાનો આ શ્રેષ્ઠ સમય છે, તેથી વધુ વિચાર કર્યા વિના, ગુજરાત માટે એક યોજના બનાવો અને અહીંના આ અદ્ભુત દરિયાકિનારાની ચોક્કસ મુલાકાત લો.


માંડવી બીચ
માંડવી બીચ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે જો કે    ગુજરાતમાં બે માંડવી બીચ છે, એક કચ્છમાં અને બીજો અહેમદપુરમાં.   બંને બીચ સુંદર છે, પરંતુ જો તમે રણ ફેસ્ટિવલ માટે આવ્યા છો, તો આ બીચ તમારી નજીક હશે. આ બીચ પરથી અસ્ત થતા સૂર્યનો નજારો ખૂબ જ ખાસ હોય છે. હા, અહીં કરવા માટે ઘણી એડવેન્ચર એક્ટિવિટી નહીં હોય, પરંતુ તમે બીચ પર ઘોડા અને ઊંટની સવારીની મજા ચોક્કસ માણી શકશો .


માધવપુર બીચ

જો તમે તમારા પરિવાર સાથે બીચ ડેસ્ટિનેશનની મુલાકાત લઈને મોજમસ્તી કરવાનું વિચારી રહ્યા છો, તો માધવપુર આવો. જ્યાં તમે આરામથી બેસી શકો, સન બાથ કરી શકો, ઊંટ પર સવારી કરી શકો, ગુજરાતી સ્વાદનો આનંદ લઈ શકો અને આરામ કરી શકો. આ બીચ  પોરબંદરથી માત્ર 60 કિમી છે.


જામનગર બીચ

ગુજરાતનો જામનગર બીચ પણ ખૂબ જ સુંદર અને વેકેશન માટે બેસ્ટ છે. મુખ્ય શહેરથી આ બીચનું અંતર આશરે 25 કિમી છે. સૌથી સારી વાત એ છે કે અહીં ભીડ નથી. જો કે, અહીં બીજા ઘણા નાના બીચ છે, જેને તમે અહીં આવીને એક્સપ્લોર કરી શકો છો.


સોમનાથ બીચ
સોમનાથ તેના મંદિર માટે પ્રખ્યાત છે, પરંતુ મંદિરની મુલાકાત લેવાની સાથે, આ બીચને પણ જોવાની તક ગુમાવશો નહીં, જે મંદિરની બાજુમાં છે. મોટાભાગના ભક્તો મંદિરના દર્શન કર્યા પછી નીકળી જાય છે, જેના કારણે નજીકમાં હોવા છતાં અહીં બહુ ભીડ નથી. મતલબ કે તમે આરામથી ફરી શકો છો.


નારગોલ બીચ

દરિયા કિનારે આવેલા લીલાછમ વૃક્ષો આ સ્થળની સુંદરતામાં વધારો  કરે છે. આ બીચ એટલો શાંત છે કે તમે દરિયાના મોજાને સરળતાથી સાંભળી શકો છો. અહીંના ઓફબીટ સ્થળોમાં આનો સમાવેશ થાય છે. જેના કારણે આ સ્થળની સુંદરતા હજુ પણ અકબંધ છે. આ બીચ ગુજરાતના વલસાડમાં છે. આ સિવાય તિથલ બીચ છે, જેને તમે અહીં આવીને જોઈ શકો છો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application