માટીના વાસણોનો ઉપયોગ કરો છો તો ચેતજો, આ લાપરવાહી સ્વાસ્થયને પહોંચાડી શકે છે ગંભીર નુકશાન

  • June 14, 2024 11:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખોરાક માટે આપણે નોન-સ્ટીક વાસણોને બદલે માટીના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. માટીના વાસણોનો ઉપયોગ કરવાથી તમારું રસોડું ઇકો-ફ્રેન્ડલી તો બનશે જ, પરંતુ તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જોકે માટીના વાસણો નો ઉપયોગ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે તેમને સાફ કઈ રીતે કરવા કેમ કે આ વાસણો ના ઉપયોગ બાદ જો બરાબર સાફ કરવામાં ન આવે તો ભોજન ના કેટલાક પાર્ટીકલ્સ એમાં જ રહી જાય છે જે લાંબા ગાળે નુકસાન કરે છે.


માટીના વાસણો સાફ કરવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ કરવાની ભૂલ ન કરો. ડિટર્જન્ટ તમારા વાસણો અને વાસણોમાં તૈયાર થયેલ ખોરાકને બગાડી શકે છે. તમે તેને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તમે નાળિયેરની છાલમાંથી બનાવેલા સ્ક્રબનો ઉપયોગ વાસણોને સ્ક્રબ કરવા માટે કરી શકો છો.


માટીના વાસણને ધોયા પછી સૂકવવા ખૂબ જ જરૂરી છે. જો તમારો માટીનો વાસણ ભીનો રહે તો તેની અંદર લીલ ઉગી શકે છે. માટીના વાસણો રસોડામાં ઠંડી અને સૂકી જગ્યાએ રાખવા જોઈએ.


ધ્યાન રાખો કે માટીના વાસણોમાં ખાટી ખાદ્ય વસ્તુઓ ન રાખવી જોઈએ. માટીના વાસણો નાજુક હોય છે, તેથી તમારે તેને સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણોથી અલગ રાખવા જોઈએ. આને ધાતુના વાસણો પાસે ન રાખવા જોઈએ નહીં તો માટીના વાસણો અથડાવાને કારણે તૂટી શકે છે.


 માટીના વાસણોમાં રસોઈ બનાવવા માટે તમારે ધાતુના ચમચાને બદલે લાકડાના ચમચાનો ઉપયોગ કરવો જોઈએ. લાકડાના ચમચામાં માત્ર ગેસની હાઇ ફ્લેમ સહન કરવાની ક્ષમતા નથી પણ તે માટીના વાસણો પર નિશાન પણ છોડતા નથી.


આ સરળ ટીપ્સને અનુસરીને, તમે તમારા માટીના વાસણોને તૂટતા બચાવી શકો છો. તમારા માટીના વાસણોની શેલ્ફ લાઇફ વધારવા માટે આ ટીપ્સને ચોક્કસ અનુસરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application