દ્વારકાના શિવરાજપુર બીચ પર આ તારીખ સુધી નાહવા પર પ્રતિબંધ, પણ ફરી તો શકાશે ને..?

  • May 26, 2023 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોન્સૂન સીઝનના કારણે દરિયો તોફાની હોવાથી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી નાહવા પર પ્રતિબંધ છે.જેમાં બહારથી આવતા ટુરિસ્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખી ત્રણ મહિના ન્હાવાની બધીજ એક્ટિવિટી બંધ રહેશે. શિવરાજપુર બીચના 5 કિમિ વિસ્તારમાં ન્હાવા, સ્વિમિંગ કરવા પર ત્રણ મહિના સુધી યાત્રિકો માટે ન્હાવાની મનાઈ રહેશે.


જ્યારે પ્રવાસીઓને ફરવા જવા માટે બીચ ખુલ્લો રહેશે. ચોમાસાને લઈને વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને જોતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શિવરાજ પુર બીચ વેકેશનમા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ન્હાવાનો આનંદ લે છે પરંતુ હવે 31 ઓગસ્ટ સુધી પ્રવાસીઓ આ આનંદ માણી શકશે નહીં.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application