જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલને અહિંસા એવોર્ડ

  • January 07, 2023 08:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપલ અને એનિમલ વેલ્ફેર બોર્ડ ભારત સરકારના ડાયરેક્ટર ડો. હિતેશ જાનીની મહાવીર પશુ રક્ષા કેન્દ્ર દ્વારા સંચાલિત એન્જરવાલા અહિંસા ધામ પ્રાગપર કચ્છ દ્વારા ગૌ સેવા સંવર્ધન અને પ્રાણી રક્ષા ક્ષેત્રે અહિંસા એવોર્ડ થી સન્માનિત કરાશે.



મહાવીર પશુ રક્ષા કેન્દ્ર દ્વારા   સંચાલિત એન્કરવાલા અહિંસા ધામ પ્રાગપર કચ્છ દ્વારા ગૌસેવા- સંવર્ધન અને પ્રાણીરક્ષા ક્ષેત્રે છેલ્લા ઘણા સમય થી દર વર્ષે રાષ્ટીય એવોર્ડ આપવામાં આવેછે.


આ વર્ષ એવોર્ડ માટે જામનગર આયુર્વેદ યુનિવર્સિટી ના પૂર્વ પ્રિન્સીપાલ અને  એનિમલ વેલ્ફેર બોર્ડ - ભારત સરકાર ના ડાયરેક્ટર   ડો. હિતેશ જાની ની પસંદગી કરવામાં આવેલી છે. પ્રસિદ્ધ અહિંસા એવોર્ડ તેઓને દિનાંક ૮ જાન્યુઆરી ના રોજ એન્કરવાલા અહિંસા ધામ ખાતે યોજાયેલા જાહેર સમારંભમાં આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application