ખંભાળિયાની દરગાહમાં લોખંડના ગેટની ચોરી કરનારા ઝબ્બે

  • March 25, 2023 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલી એક દરગાહમાં લોખંડના ડેલાની ચોરી થવા સબબ પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણના અનુસંધાને ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઇ. નિકુંજ જોષીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં આવેલા શિરૂતળાવ ખાતે રહેતા ગોવિંદ ભીખુભાઈ પરમાર નામના ૩૨ વર્ષના શખ્સને ઝડપી લઇ, તેની પાસેથી ચોરી કરીને રાખવામાં આવેલો રૂપિયા ૨,૫૦૦ ની કિંમતનો લોખંડની ડેલો પોલીસે કબજે લઈ, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application