રાહુલ ગાંધીના પ્રયાસો બાદ પણ સચિન-ગેહલોત વચ્ચે વિખવાદ
ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં નવા અધ્યક્ષની થશે નિમણુક
તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી ચૂટણીમાં કોંગ્રેસે પ્રચંડ બહુમતી મેળવી છે. કર્ણાટકમાં જીત બાદ પાર્ટીમાં મોટા ફેરબદલની તૈયારી ચાલી રહી છે. હાલ કોંગ્રેસનું પ્રથમ ધ્યાન રાજસ્થાન પર છે. જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને રાજ્યના બે સૌથી મોટા કોંગ્રેસી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
કર્ણાટકમાં મળેલી જીતે કોંગ્રેસ અને તેના કાર્યકરોમાં ઉત્સાહ ભરી દીધો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે હવે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે અને પાર્ટીમાં પહેલા સંસ્થાકીય ફેરબદલની યોજના છે. કોંગ્રેસ ટૂંક સમયમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં નવા અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. આ સાથે પાર્ટી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપી શકે છે.
સૂત્રો મુજબ કોંગ્રેસ ટૂંક સમયમાં ઓડિશા, હરિયાણા અને બિહારમાં નવા પ્રભારીઓની નિમણૂક કરશે. આ સાથે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પ્રભારી પણ બદલવામાં આવશે. હકીકતમાં, આ બંને રાજ્યોના વર્તમાન પ્રભારી દિનેશ ગુંડો રાવ અને એચકે પાટીલને તાજેતરમાં કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.
ટૂંક સમયમાં રાજસ્થાનમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષના નામ પર મહોર લાગી શકે છે. કારણ કે રાજ્યમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો મતભેદ સામે આવ્યો છે. આ ઉપરાંત યુવા ચહેરાઓને તક આપવાના હેતુથી ટૂંક સમયમાં નવી કોંગ્રેસ કાર્યકારી સમિતિની ચૂંટણી કરવામાં આવશે. રાયપુરના સત્રમાં આ અંગેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
આગામી એકથી ત્રણ સપ્તાહમાં સમગ્ર સંગઠનાત્મક ફેરબદલની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પદો માટેના ઉમેદવારોના નામ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે પહોંચી ગયા છે. રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને નેતાઓએ ખુલ્લેઆમ એકબીજા સામે મોરચો ખોલ્યો છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન બંને નેતાઓને સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો. કર્ણાટક ચૂંટણી બાદ બંને નેતાઓ સાથે વાતચીત પણ થઈ હતી. રાહુલ ગાંધી અમેરિકા પ્રવાસે જતા પહેલા જ બંનેને મળ્યા હતા. આ દરમિયાન પાયલટ અને ગેહલોતને મનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેથી રાજસ્થાન ચૂંટણી પહેલા એકતાનો સંદેશ આપી શકાય. જો કે, હજુ સુધી કોંગ્રેસને કોઈ સફળતા મળી નથી, કારણ કે બંને નેતાઓ પોતપોતાના સ્ટેન્ડ પર અડગ છે.
પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું, બંને રાજ્યોમાં કોંગ્રેસનો વિજય થયો. માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં મોટી ભૂમિકામાં જોવા મળી શકે છે. અગાઉ તેમને યુપીના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. જો કે રાજ્યમાં હાર બાદ તેઓ હિમાચલ અને કર્ણાટક તરફ વળ્યા હતા. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની કમાન છોડી શકે છે, જેથી તેઓ અન્ય રાજ્યોમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCJI ચંદ્રચુડના નિવાસ સ્થાને PM મોદીએ ભગવાન ગણેશની કરી આરતી
September 12, 2024 09:18 AMAyushman Bharat Yojana: આયુષ્માન ભારતનું નવું કાર્ડ બનશે, રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે
September 11, 2024 10:52 PMપિતાના મૃત્યુ બાદ મલાઈકા અરોરાએ લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- તે અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા
September 11, 2024 10:48 PMPNB Fraud Case: નીરવ મોદી પર EDની મોટી કાર્યવાહી, 29.75 કરોડની સંપત્તિ કરશે જપ્ત
September 11, 2024 10:43 PMપાટણની સરસ્વતી નદીમાં સાત ડૂબ્યા, 3ને બચાવાયા, 1નું મોત
September 11, 2024 10:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech