સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિતોની શરણાગતિના સમયમાં છૂટની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ કેસમાં 11માંથી ત્રણ દોષિતોએ આત્મસમર્પણનો સમયગાળો વધારવા માટે વિનંતી કરી હતી. 8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે તમામ આરોપીઓને બે સપ્તાહમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. આ મુજબ તમામ આરોપીઓએ 21 જાન્યુઆરીએ આત્મસમર્પણ કરીને જેલમાં જવું પડશે.
તમામ 11 દોષિતોમાંથી ત્રણ દોષિતોએ અંગત કારણોસર 4 થી 6 સપ્તાહનો વધુ સમય માંગ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો. તેમની અરજીઓને ફગાવી દેતા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે શરણાગતિની તારીખ મુલતવી રાખવા માટે દોષિતો દ્વારા ટાંકવામાં આવેલા કારણોમાં કોઈ યોગ્યતા નથી.
મહત્વનું છે કે 11 દોષિતોમાંથી ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે આત્મસમર્પણની અવધિ વધારવાની માંગ કરી હતી. ગોવિંદ નાઈએ કોર્ટ પાસેથી 4 સપ્તાહ જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ 6 સપ્તાહના એક્સટેન્શનની માંગણી કરી હતી. આ ગુનેગારોએ અંગત કારણો દર્શાવ્યા હતા. જે માન્ય રાખવામાં આવ્યા નથી. આમ, તમામ દોષિતો માટે શરણાગતિની સમયમર્યાદા 21મી જાન્યુઆરીએ પૂરી થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech