@aajkaldigitalteam
દેશભરમાં રામમંદિરના ઉદ્ધાટન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ અયોધ્યા તો રામમય થઇ ગયું છે. ત્યારે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યાની કાયાપલટ થવા લાગી છે. એટલું જ નહીં અયોધ્યાની એક નવી ઓળખ મુખ્ય તીર્થસ્થળ અને પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત થઈ રહી છે. આ તરફ અયોધ્યાની ફ્લાઈટનું ભાડું તો કેટલાક આંતરરાષ્ટ્રીય રૂટ કરતા પણ વધુ થઈ ગયું છે.
22 જાન્યુઆરીએ રામમંદિરના ઉદ્ઘાટન પહેલા પ્રવાસીઓ અયોધ્યા આવે તે સ્વાભાવિક છે. ત્યારે પરિવહન ક્ષેત્રને પણ સીધી અસર પડી છે. એક અહેવાલ મુજબ ખાસ કરીને હવાઇ ભાડાની વાત કરવામાં આવે તો વિવિધ એરલાઇન્સ તા.19 અને 20 જાન્યુઆરીના તેમની ફલાઇટના તગડા ભાડા ગ્રાહકોને બતાવી રહી છે. જો હાલના દિવસોમાં મુંબઇથી અયોધ્યાની ટિકિટ ચેક કરવામાં આવે તો 20હજાર રૂપિયા આસપાસ ભાડુ જાણવા મળે છે.
મહત્વનું છે કે આ પ્રકારે ભાડાની વસુલાત એ ઘણા આંતરરાષ્ટ્રીય રૂટ પરના ભાડા કરતાં વધુ છે. ઉદાહરણ તરીકે, માત્ર 19 જાન્યુઆરીની મુંબઈથી સિંગાપોરની ફ્લાઈટ ચેક કરવા પર સીધી ફ્લાઈટનું ભાડું 10,987 રૂપિયા જાણવા મળે છે. જયારે કે 19 જાન્યુઆરીએ મુંબઈથી બેંગકોકની સીધી ફ્લાઈટનું ભાડું 13,800 રૂપિયા જાણવા મળ્યું છે. તેની સાપેક્ષમાં અયોધ્યા માટેની ફલાઇટનું ભાડું ઘણું જ વધારે કહી શકાય.
રામમંદિરના ઉદ્ધાટન પહેલા અયોધ્યામાં અનેક પ્રકારની ધંધાકીય ગતિવિધિઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તે બાબત પણ એટલી જ નોંધપાત્ર બની છે. આગામી દિવસોમાં સંભવિત માંગ અને વિશાળ પ્રવાસન બજારની અપેક્ષાએ વ્યાપારીક ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. હોસ્પિટાલિટી ફર્મ ઓયોના સ્થાપકે સપ્તાહ પૂર્વે જણાવ્યું હતું કે, લોકો અયોધ્યા માટે મોટા પાયે હોટલ શોધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ગોવા જેવા પ્રવાસન સ્થળો અયોધ્યાથી પાછળ રહી ગયા છે. આ તરફ ભગવાન રામનાં નામના ઝંડા અને ભગવા વસ્ત્રો માટે બનારસની બજારમાં એટલી માંગ વધી રહી છે કે વેપારીઓ પણ હવે ઓર્ડર લેવાનું બંધ કરી રહ્યા છે. આમ, અનેકવિધ વ્યવસાયિક કાર્યોમાં તેજી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech