વિદેશમાં અભ્યાસ બાદ માત્ર 22 ટકાને જ ભારતમાં મળે છે નોકરી

  • February 23, 2023 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશમાં અભ્યાસ કરીને પરત ફરતા ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં નોકરી મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં માત્ર 22 ટકા વિદ્યાર્થીઓને જ દેશમાં રોજગાર મળે છે.


શિક્ષણ મંત્રાલય અનુસાર 2022માં 7.70 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ માટે વિદેશ ગયા હતા. આ આંકડા છ વર્ષના સૌથી વધુ આંકડા છે. જયારે 2015થી 2019 વચ્ચે વિદેશમાં અભ્યાસ કરનારાઓમાંથી માત્ર 22 ટકાને જ નોકરી મળી હતી તેમ છતાં પણ વિદેશમાં અભ્યાસ માટેનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો નથી. કેનેડાના એજ્યુકેશન ફર્મ એમ સ્કવેર મીડિયા અનુસાર ભારતમાં વિદેશી ડિગ્રી અને ડિપ્લોની માન્યતાનો અભાવ છે. આ સ્થિતિમાં સ્થાનિક યોગ્યતા તેમજ અનુભવ મેળવેલા એમ્પ્લોયને પ્રાથમિકતા આપવામાં આવે છે.

સંસદમાં ઉપલબ્ધ થયેલા આંકડા અનુસાર મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ડિગ્રી કોર્સ માટે કેનેડા, અમેરિકા અને બ્રિટનને પસંદ કરે છે આ આંકડા અનુસાર 2022માં 2,26,450 ભારતીય વિદ્યાર્થી કેનેડામાં અભ્યાસ માટે ગયા હતા.
વિદેશ અભ્યાસ કયર્િ બાદ ભારતમાં નોકરી ન મળવાના મુખ્ય કારણોમાં દેશમાં વિદેશી ડિગ્રીની માન્યતાનો અભાવ, ભાષાની મુશ્કેલી અને સ્થાનિક નેટવર્કનો અભાવ વધુ અસર કરે છે જેના કારણે યુવાનોને નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application