અમદાવાદના પોકસો કેસનો આરોપી પસાયા બેરાજામાંથી આબાદ પકડાયો

  • March 25, 2023 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનના દુષ્કર્મ અને પોકસોના ગુનામાં ફરાર આરોપીને એક બાતમીના આધારે જામનગર તાલુકાના પસાયા બેરાજા ખાતેથી પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો હતો.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબીને સુચના કરતા પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

​​​​​​​દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વૈષ્ણવ, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા તથા કરણસિંહ જાડેજા, રણજીતસિંહ પરમારને બાતમી મળેલ કે મહિલા પોલીસસ્ટેશનના કલમ ૩૭૦, ૩૭૦-એ, ૩૭૬(૩) મુજબના ગુનામાં પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી રાજુ વલ્લભ કુનડીયા રહે. બેરાજા (પસાયા)  જામનગર વાળો ત્યાં હાજર હોય જેથી તપાસ કરતા આરોપી મળી આવતા તેને પકડી પાડી આગળની કાર્યવાહી માટે અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનને જાણ કરી પંચ-એ ડીવીઝન પોલીસ ખાતે સોપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application