વીછિંયાના રેવાણીયાની વાડીએથી ૫.૪૮૦ કિલો ગાંજાનો જથ્થો મળ્યો

  • February 17, 2023 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીછિંયાના રેવાણીયા ગામની સીમમાં વાડીમાં આવેલા મકાનમાંથી રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે ૫ કિલો ૪૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. ગાંજાના જથ્થા સાથે પોલીસે વાડી માલીકને પણ ઝડપી પાડ્યો હતો તેની પૂછતાછ કરતા તેણે જાતે ગાંજાનું વાવેતર કર્યું હોય અને આ ગાંજો વેચે તે પૂર્વે પોલીસ ઝપટે ચડી ગયો હતો. આ શખસ કેટલા સમયથી માદક દ્રવ્યોનું વેચાણ કરે છે? સહિતના મુદ્દે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ કે.બી.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ બી.સી.મિયાત્રા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ અગ્રાવત કોન્સ્ટેબલ રણજીતભાઈને એવી બાતમી મળી હતી કે,વીછિંયા તાલુકાના રેવાણીયા ગામની સીમમાં તળાવ પાસેની વાડીમાં ગાંજાનું જથ્થો છુપાવી રાખ્યો છે. આ બાતમીના આધારે એસોજીની ટીમ અહીં રેવાણીયા ગામની સીમમાં આવેલી રાજુભાઈ છગનભાઈ જમોડ(ઉ.વ ૪૨) ની વાડીમાં દરોડો પાડતા અહીં વાડીમાં આવેલા મકાનમાંથી પાંચ કિલો ૪૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રૂપિયા ૫૪,૮૦૦ ની કિંમતનું ગાંજાનો જથ્થો કબજે કરી વાડીમાલીક રાજુ જમોડની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
​​​​​​​
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વાડીમાલિક રાજુ જમોડ પોતે પણ નશાનો બંધાણી હોય અને તેણે જાતે જ અહીં વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસની પૂછતાછમાં તેણે પ્રથમ વખત આ રીતે ગાંજાનો વાવેતર કર્યું હોવાનું અને પોતે બંધાણી હોવાથી પોતાના વ્યસન માટે આ વાવેતર કર્યાનું રટણ કર્યું છે પરંતુ આટલો મોટો જથ્થો પોતાના વ્યસન માટે નહીં પરંતુ વેચવા માટે વાવેતર કર્યું હોય તેવી દ્રઢ શંકા હોય જેથી આ શખસ કેટલા સમયથી આ રીતે માદક પદાર્થનું વેચાણ કરતો હતો સહિતની બાબતો અંગે વધુ તપાસ વીછિંયા પોલીસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application