aajkaal@team
મહુવા એડીશનલ જ્યુડીશીયલ કોર્ટનો ચુકાદો
૨૦૧૦માં ચિકારના અવશેષ મળી આવ્યા બાદ ગુનો દાખલ થયો હતો
મહુવાના નાના આસરાણા ગામે વન વિભાગે ચિકારાના અવશેષો બરામત કરી એક શખ્સ સામે ગુનો દાખલ કરાવી ધરપકડ કરી લીધી હતી. ઉક્ત કેસ મહુવા ન્યાયલયમાં ચાલી જતા ન્યાયમૂર્તીએ આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષના કારાવાસની સજા ફટકારી હતી.
મહુવા તાલુકાના નાના આસરાણા ગામે વર્ષ ૨૦૧૦માં એક ખેડુતની વાડી માં મૃત ચિકારા હરણના અવશેષો હોવાની બાતમીના આધારે મહુવા વનવિભાગ દવારા સ્થળ તપાસ કરતા ત્યાં મળી આવેલ અવશેષો પરથી સુમરા ઈલ્યાસ સમા ઉર્ફે મુન્નો ઇલ્યાસ સમા રહે. નાના આસરાણા વાળાને વન વિભાગે અટક કરી તેના વિરૂધ્ધ મળેલા પુરાવાઓના આધારે કેસ દાખલ કર્યો હતો.ઉક્ત કેસ મહુવાના એડી.જયુડી મેજી. વિપ્લવ એચ તરૈયાની કોર્ટમાં
ચાલી જતા આરોપીને ગુના માટે પુરતા ઘેરાવાઓના આધારે તકસીરવાન ઠેરવી સરકારી વિકલ પીબી બારીયાની દલીલોને ગ્રાહય રાખીને આરોપી સુમરા ઈલ્યાસ સમાને ૩ વર્ષની સાદી કેદ તથા રૂા.૧૦ હજાર દંડની સજા ફટકારી હતી. શેડયુલ ૧ની શ્રેણીમાં આવતા ચિકારાના શિકાર મામલે મહુવા કોર્ટ દવારા વન્ય જીવોના રક્ષણ બાબતે સારો કહી શકાય તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ ડિટોક્સ ડ્રિંક લીવરમાં જમા થયેલી ગંદકીને કરશે દૂર, થોડા જ દિવસોમાં ચરબી થશે ગાયબ
September 12, 2024 11:26 AMગીરગઢડાના ધોકડવા ગામે વાડીમાં જુગાર રમતા ૯ શકુની ઝડપાયા
September 12, 2024 11:25 AMકાલાવડ કોંગ્રેસના આગેવાનો ગણપતિ બાપાના દર્શન કરવા પહોંચ્યા
September 12, 2024 11:24 AMસરકારે આયુષ્માન કાર્ડનાં નિયમોમાં કર્યા ફેરફાર, જાણો એક પરિવારનાં કેટલા લોકોને મળશે લાભ
September 12, 2024 11:23 AMજામનગરમાં ગણપતિ ઉત્સવમાં અખંડ ભારત સાથે રાષ્ટ્રવીરો અને રાષ્ટ્રદ્રોહીની ઝાંખી કરતી હિન્દુ સેના
September 12, 2024 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech