બાબા બાગેશ્વર પર બનશે ફિલ્મ, ફેમસ ડાયરેક્ટર બતાવશે ધીરેન્દ્ર શાસ્ત્રીના જીવનના રાઝ

  • May 23, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક સમયથી એક નામ દરેક જગ્યાએ હેડલાઈન્સમાં છે. એ નામ બાગેશ્વર ધામના બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી. દરરોજ એક યા બીજા કારણોસર તેઓ ચર્ચામાં રહે છે. બાબાના લાખો ચાહકો છે. જોકે કેટલાક લોકો તેમના જ્ઞાન પર પણ સવાલ ઉઠાવે છે. આગામી મહીને બાગેશ્વર બાબાના દરબાર ગુજરાતના શહેરોમાં યોજાનાર છે. જેની તાડમાર તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે. હવે માહિતી સામે આવી રહી છે કે બાબા પર ફિલ્મ બનવા જઈ રહી છે.


હા, બાબા બાગેશ્વર પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ 'ધ બાગેશ્વર સરકાર' હશે, જે નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબના બેનર હેઠળ બનાવવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન વિનોદ તિવારી કરવાના છે.


​​​​​​​વિનોદ તિવારીએ કહ્યું કે બાબા બાગેશ્વરના અનુયાયીઓ આખી દુનિયામાં છે. લોકોનો તેના પ્રત્યેનો પ્રેમ જોઈને તેણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મમાં બાબાના જીવન, તેમના સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વની ઝલક જોવા મળશે. વિનોદ તિવારી કહે છે કે બાબા જે રીતે સનાતનીઓને એક કરવા માટે કામ કરી રહ્યા છે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે.


વિનોદ તિવારીએ આ પહેલા પણ ઘણી ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મોમાં 'ધ કન્વર્ઝન', 'તેરી ભાભી હૈ પગલા', 'તબદલા' જેવા અનેક નામ સામેલ છે. અને હવે તે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ લાવશે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ વિશે વધુ માહિતી સામે આવે છે કે કેમ અને આ ફિલ્મ ક્યારે જોવા મળે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application