aajkaal@team
જિલ્લા તથા તાલુકા કક્ષાના ૮ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા
ભારતમાં ૫મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભાવનગરના દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મીની, સરદારનગર ખાતે યોજાયો હતો.
આ તકે કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના ૮ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા તેમજ જ્ઞાનસાધના અને જ્ઞાનસેતુ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો નું કરાયું સન્માન કરવામાંન આવ્યું હતું. જેમાં અવાણીયા કુમાર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) મુકેશકુમાર ચંદ્રકાંતભાઈ વાઘેલા, આર્યકુળ કન્યા વિદ્યાલયના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) ચંદ્રિકાબેન રતિભાઈ ચૌહાણ અને નવા ગુંદારણા કે.વ.શાળા મુખ્ય શિક્ષક(HTAT) નિલેશકુમાર મનસુખભાઇ નાથાણીને જિલ્લા કક્ષાના પારિતોષિક થી નવાજવામાં આવ્યા હતા. આ સાથે મોટા પીપળવા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) હિતેષ વશરામભાઈ ઠંઠ, ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) હિમંતભાઈ શામજીભાઇ રાઠોડ, મોટા સૂરકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) નિરવભાઈ ગૌતમભાઈ ચૌહાણ,રામણકા કેંદ્રવર્તી પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) સંજયભાઇ શામજીભાઇ ટાપણીયા અને જમણવાવ પ્રાથમિક શાળાના આસી. શિક્ષક (પ્રાથમિક) જયસુખભાઈ બોઘાભાઈ ઘરેણીયાને તાલુકા કક્ષાના પારિતોષિક થી તેમજ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન મિતુલભાઈ રાવલે કર્યું હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, જિલ્લા શિક્ષણાધિકારી સાગરભાઈ પંડ્યા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા સહિત પૂર્વ શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો, નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech