નજીકના દિવસોમાં ભાવનગરમાં જ ધડાકો કરીશે યુવરાજ જાડેજા

  • March 01, 2024 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડમીકાંડ વિશે નજીકના દિવસોમાં હું ભાવનગરમાં જ ધડાકો કરીશ તેમ ભાવનગર જિલ્લામાં લગ્ન પ્રસંગે પધારેલા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે હું મારી લડાઈ લડતો જ રહીશ.


  થોડા મહિનાઓ અગાઉ રાજ્યભરમાં પેપર લીક કાંડ, ડમી કાંડ અને તોડ કાંડ બહુચર્ચિત બન્યા હતા.ભાવનગર જિલ્લામાં ડમી કાંડ બહુ ગાજ્યો હતો.યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક કાંડની જેમ જ ડમી કાંડ એટલે કે નોકરી મેળવવા માટેની તેમજ અન્ય પરીક્ષામાં જે તે વિદ્યાર્થીના બદલે અન્ય એટલે કે ડમી વિદ્યાર્થીને બેસાડવાના કાંડનો પર્દાફાશ કર્યો હતો.


  આ અંગે તેમણે અનેક વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું અને તેમના નામ આપ્યા હતા.આથી પોલીસે આ બાબતે પાંચ ડઝન જેટલા શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.આથી તે સમયે ખાસ કરીને ભાવનગર સહિત રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.


  ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાએ ડમી કાંડમાં સંડોવાયેલા કેટલાક લોકો પાસેથી તોડ કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.આથી પોલીસે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.યુવરાજસિંહે તોડ કાંડમાં મેળવેલ કથિત રકમ પોલીસે કબ્જે કરી હતી.જેલમાંથી ત્યારબાદ યુવરાજસિંહ જાડેજા જામીન પર મુકત થયા હતા.


  યુવરાજસિંહ જાડેજા ગુરૂવારે બપોરે ભાવનગર જિલ્લામાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા.ત્યાં તેમને પૂછવામાં આવ્યું કે જેલમાંથી મુકત થયા બાદ તમે કેમ સક્રિય નથી ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે હાલ લગ્ન સીઝનમાં અને અન્ય કામકાજમાં વ્યસ્ત છુ.જો કે તેમણે જણાવ્યું હતું કે આગામી નજીકના દિવસોમાં તેઓ ડમી કાંડ વિશે ભાવનગરમાં જ ધડાકો કરશે. આથી રાજકીય અને સામાજિક ભૂકંપ સર્જાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application