યુનુસની સરકાર બાંગ્લાદેશમાં અરાજકતા રોકવામાં નિષ્ફળ, આર્મીને મેજિસ્ટ્રેટની સત્તા

  • September 19, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર અરાજકતાને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે, જેના કારણે ફરી એકવાર દેશમાં સૈન્ય શાસનની માંગ વધી રહી છે. દરમિયાન, વચગાળાની સરકારે તાત્કાલિક અસરથી સેનાને એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટની સત્તા આપી દીધી છે. બાંગ્લાદેશના પબ્લિક એડમિનિસ્ટ્રેશન મંત્રાલયે મંગળવારે આ મુદ્દે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડું હતું. આ નોટિફિકેશન અનુસાર, સેનાના અધિકારીઓ આગામી ૬૦ દિવસ સુધી સમગ્ર બાંગ્લાદેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરશે. મંત્રાલય દ્રારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્દેશો સમગ્ર બાંગ્લાદેશમાં લાગુ થશે.
એક સરકારી સલાહકારે બાંગ્લાદેશી મીડિયાને જણાવ્યું કે મેજિસ્ટ્રેટની સત્તા મળ્યા બાદ સેના અધિકારીઓને લોકોની ધરપકડ અને અટકાયત કરવાની સત્તા હશે. સ્વ–બચાવમાં અને અત્યતં જરિયાતના કિસ્સામાં, લશ્કરી અધિકારીઓ ગોળીબાર કરી શકે છે. આ નિર્ણયનું કારણ જણાવતાં વચગાળાની સરકારના કાયદાકીય સલાહકાર આસિફ નઝલે કહ્યું કે ઘણી જગ્યાએ સ્થિતિ વિનાશક છે. ઔધોગિક વિસ્તારો પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આ પરિસ્થિતિઓ વચ્ચે સેનાને મેજિસ્ટ્રેટની સત્તા આપવામાં આવી છે.
બાંગ્લાદેશમાં ૫ ઓગસ્ટે શેખ હસીનાની સરકારના પતન બાદ અરાજકતાનું વાતાવરણ છે. આ દરમિયાન પોલીસ પર મોટી સંખ્યામાં હત્પમલા કરવામાં આવ્યા હતા. અરાજકતાવાદીઓએ પોલીસ વાહનો અને અનેક પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દીધી હતી. પોલીસકર્મીઓએ તેમનો યુનિફોર્મ ઉતારીને સંતાઈ જવું પડુ.ં બાંગ્લાદેશ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ ૬૬૪ પોલીસ સ્ટેશનોમાંથી ૪૫૦ પોલીસ સ્ટેશન પર હુમલા થયા હતા


પ્રથમ વખત અપાયો આવો આદેશ
વચગાળાની સરકારના સલાહકારે સ્વીકાયુ કે આ સ્થિતિ અસામાન્ય છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર છે યારે સરકાર દ્રારા સેનાને આ પ્રકારની સત્તા આપવામાં આવી છે. જોકે, બાંગ્લાદેશમાં માર્શલ લો લાગુ થઈ ચૂકયો છે, પરંતુ તે કાયદા હેઠળ સેનાને મેજિસ્ટ્રેટની સત્તા આપોઆપ મળી જાય છે


પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ
કાયદાકીય સલાહકાર નઝલે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સેનાના જવાનો આ અધિકારનો દુપયોગ નહીં કરે. નઝલે જણાવ્યું હતું કે એકવાર પરિસ્થિતિ સુધરી જશે તો સેનાને મેજિસ્ટ્રેટની સત્તાની જર રહેશે નહીં. અન્ય એક કન્સલ્ટન્ટે નામ ન આપવાની શરતે કહ્યું કે પોલીસ હજુ પણ યોગ્ય રીતે કામ કરી શકી નથી. સેના સાથે મેજિસ્ટ્રેટની ગેરહાજરીને કારણે સ્થિતિ કાબૂમાં નથી આવી રહી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application