રામનાથપરા પુલ પર બે બાઈક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત

  • October 09, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રામનાથપરા પુલ પાસે રાત્રીના સમયે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ત્રણ યુવકમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવકના મોતને લઈને પરિવારે આક્ષેપ કર્યો હતો કે, સામેના બાઈક સાથે બાઈક અથડાતા તેના ચાલક સહિતનાએ ઝગડો કરી પુત્ર અને તેના કારીગરોને મારમારતા ઇજા થવાથી પુત્રનું મોત થયું છે. આક્ષેઓને પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.
બનાવની મળતી વિગત મુજબ ભવાનીનગર-5માં રહેતો કલ્પેશ દેવજીભાઈ બાંભણીયા (ઉ.વ.28)નામનો યુવક ગત તા.7ના બાઇકમાં તેના કારીગર સોમનાથ બંગાળી (ઉ.વ.35) અને મોરબી રોડ ગિરિરાજ પાર્ટી પ્લોટ પાસે રહેતો ધવલ કિશોરભાઈ સરૈયા (ઉ.વ.21)ને બેસાડી ઘર તરફ જતો હતો ત્યારે રામનાથ પરા સ્મશાન પાસેના પુલ પર સામેથી આવતા બાઈક સાથે અકસમાત સર્જાતા ત્રણેયને ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ગત રાત્રીના કલ્પેશનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી.ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક કલ્પેશ સોની કામ કરતો હતો અને ત્રણ ભાઈ એક બહેનમાં મોટો હતો. સંતાનમાં એક દીકરો દીકરી છે. સાતમીએ પોતે બંને કારીગરને પોતાની બાઇકમાં બેસાડી ઘરે જતો હતો ત્યારે સામેથી આવતા બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. પીએમ રૂમ ખાતે પરિવારજનોએ આક્ષેપ કરતા કર્યું હતું કે, આ અકસ્માત થયો ત્યારે સામેના બાઈક ચાલકએ પુત્ર અને તેના કારીગરને મારકૂટ કરતા તેમાં વધુ લાગી જવાથી મોત થયું છે. ત્યારે પરિવારના આક્ષેપોના પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતબુ કારણ સામે આવશે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application