મોરબી રોડ પર શિવધારા સોસાયટી મહિલાએ જાત જલાવી:મોત
શહેરમાં આપઘાત અને આપઘાતના પ્રયાસના બનાવનો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બાબરિયા કોલોની પાસેની મોરારી સોસાયટીમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો અને મોરબી રોડ પર રાજ સ્કૂલની પાછળ શિવધારા સોસાયટીમાં રહેતા મહિલાએ જાત જલાવી લેતા દમ તોડ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના બાબરીયા કોલોની નજીક મોરારીનગર સોસાયટી શેરી નં.૭ માં રહેતા શાંતિલાલ ડાયાભાઈ ચૌહાણ (ઉં.વ.36) નામના યુવક ગઈકાલે ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગાંધીનગર સોસાયટીમાં રહેતા યુવકના મોટાભાઈ ગોવિંદભાઈ અને તેમના પત્ની ઘરની સફાઈ કરવા માટે આવ્યા હતા ત્યારે દરવાજો ખોલતા નાનાભાઈને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરી મુકતા આસપાસના પડોસીઓ દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા 108ની ટિમ ઘટના સ્થળે પહોંચી ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.
પરિવારના કહેવા મુજબ શાંતિલાલ એકલવાયું જીવન જીવતા હતા. અને મહિનાથી મગજ ભમતું હોય અને પોતાને ક્યાંય ગમતું નથી મરી જવાની વાતો કરતા હોવાથી મનોચિકિત્સક પાસે લઇ જઈ સારવાર કરાવી હતી અને તેની દવા પણ ચાલુ હતી. ગઈકાલે ઘરે એકલા હતા ત્યારે પગલું ભરી લીધું થયુ. મૃતક ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા અને કડિયા કામ કરતા હતા. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે. આગળની તપાસ ભક્તિનગર પોલીસ ચલાવી રહી છે.
બીજા બનાવમાં મોરબી રોડ પર શિવધારા સોસાયટી શેરી નં-3માં રહેતા દયાબેન દિલીપભાઈ પીપળીયા (ઉ.વ.38)નામના મહિલા ગઈકાલે ઘરે હતા ત્યારે જ્વલનશીલ પ્રવાહી છાટી જાત જલાવી લેતા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી તપાસ હાથ ધરી હતી. મૃતકને સંતાનમાં એક દીકરો દીકરી છે. પતિ દિલીપભાઈ ઇમિટેશન માર્કેટમાં નોકરી કરે છે. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.]
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech