કૈલાસપાર્કમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

  • February 29, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જુના મોરબી રોડ પર વેલનાથ પરામાં આવેલા કૈલાસ પાર્કમાં રહેતો રાજેશ વેલજીભાઈ જાટ (ઉ.વ.30) નામના યુવકે આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે પંખામાં સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારે 108 ને જાણ કરતા 108 ની ટીમ બનવાના સ્થળે પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો, બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મૃતક ચાર ભાઈ બે બહેનમાં નાનો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. આઠેક વર્ષ પહેલા રાજકોટમાં જ લગ્ન થયા હતા પરંતુ દંપતી વચ્ચે અવાર નવાર ઝગડા થતા હોવાથી છૂટાછેડા કયર્િ હતા. સંતાનમાં સાત વર્ષની પુત્રી છે, પરિવારજનોના કહેવા મુજબ પુત્રને દારૂ પીવાની પણ ટેવ હતી કદાચ નશાની હાલતમાં પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આગળની તપાસ બી,ડિવિઝન પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application