દ્વારકા જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા: કલ્યાણપુર નજીક બાઇક અકસ્માતમાં દંપતિ ખંડિત
કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતી રક્ષાબેન મનસુખગર મેઘનાથી નામની ૧૭ વર્ષની તરુણી ગઈકાલે મંગળવારે બપોરના સમયે પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને દેવળીયાથી ચાચલાણા ગામ તરફ આવી રહી હતી, ત્યારે જી.જે. ૧૦ એન. ૯૦૬૬ નંબરના એક મોટરસાયકલના ચાલકે રક્ષાબેનની ઈ-બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જી, આરોપી મોટરસાયકલ ચાલક પોતાનું બાઈક મૂકીને નાસી છૂટ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. કલ્યાણપુર પોલીસે મૃતકના પિતા મનસુખગર પ્રેમગર મેધનાથીની ફરિયાદ પરથી મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજાએ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના આંબલા ગામે રહેતા ઝરીનાબેન હાજીભાઈ ઈસ્માઈલભાઈ ચાવડા નામના ૪૦ વર્ષના મુસ્લિમ મહિલા ગત તારીખ ૩૦ ના રોજ તેમના પતિના મોટરસાયકલ નંબર જી.જે. ૩૭ એફ ૦૫૦૭ પર બેસીને પોતાના ઘરેથી દ્વારકા તરફ જઈ રહી હતી, ત્યારે કલ્યાણપુરથી આશરે ૩૦ કિલોમીટર દૂર હરિયાવર ગામના પાટીયા પાસે પહોંચતા તેઓની બાઇક આડે એકાએક કૂતરું ઉતર્યું હતું. જેના કારણે મોટરસાયકલમાં મારવામાં આવેલી તાકીદની બ્રેકના કારણે બાઇક સ્લીપ થઈ ગઈ હતી. જેથી ઝરીનાબેનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે તેણીના પતિને હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી. જે અંગેની રાજપરા ગામના કાદરભાઈ તારમામદભાઈ ચાવડા (ઉ.વ. ૪૦) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના ભેનકવડ રહેતા દિલનવાજ મુસાભાઈ ઉનારાણી નામના ૨૧ વર્ષના યુવાનને પાણીની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરતી વખતે શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પિતા મુસાભાઈ કાસમભાઈ ઉનારાણીએ ભાણવડ પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech