પોરબંદર અને માધવપુરમાં યુવાન અને આધેડે કરી આત્મહત્યા

  • September 24, 2024 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર અને માધવપુરમાં  યુવાન અને આધેડે ઝેરી ટીકડા ખાઇને આપઘાત કર્યા છે.
પોરબંદરનો બનાવ
પોરબંદરના કડીયાપ્લોટમાં રહેતા કૃણાલ નીતિનભાઇ તન્ના ઉ.વ.૩૧એ કોઇ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઇ લેતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લવાયો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો છે. 
માધવપુરનો બનાવ
માધવપુરના રમેશભાઇ ગોવિંદભાઇ મોકરીયા ઉ.વ. ૫૫એ કોઇ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લીધા હતા અને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે લવાતા સારવાર દરમિયાન તેનુ મોત થયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application