હાલ રાજકોટમાં જામનગર રોડ પર આવેલા તોપખાના વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક–માનસિક ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે તોપખાના વિસ્તારમાં માવતરના ઘરે રહેતી એકતાબેન(ઉ.વ ૩૫) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પતિ જીતેશ લાભુભાઈ પરમાર, સાસુ ઇન્દુબેન, સસરા લાભુભાઈ અને દિયર જીેશના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લ ૧૫ વર્ષ પૂર્વે જીતેશ પરમાર સાથે થયા હતા જે લજીવન થકી સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં એક પુત્રી પરિણીતા પાસે છે અને તે છેલ્લા છ મહિનાથી અહીં માવતરના ઘરે રિસામણે છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, લના દસ વર્ષ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો.બાદમાં સસરાને દા પીવાની આદત હોય જેથી તે દા પી અવારનવાર ઝઘડો કરી ગાળો આપતા હતા. સાસુ પણ વારંવાર કહેતા કે, તું કાળી છો તો અમારા ઘરને લાયક નથી માટે તું મારા દીકરાને છૂટાછેડા આપી દે. તેમ કહી મેણાટોણા મારતા હતા. પરિણીતાને ત્રીજા નંબરની દીકરીનો જન્મ થયો ત્યારે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. બાદ તે અહીં માતા–પિતાના ઘરે રાજકોટ આવી ગઈ હતી અને અહીં પતિ સાથે રહેતી હતી દરમિયાન પતિને દેણું થઈ જતા અને તે દા પણ પીવા લાગતા પરિણીતાએ સાસુ સસરાને આ વાત કહી હતી.
છએક મહિના પહેલા પતિ સુરેન્દ્રનગર ખાતે એક દીકરી અને દીકરાને લઈને ચાલ્યો ગયો હતો.સાસુ– સસરાએ ફોન કરી નણંદના દીકરીના લ પ્રસંગે બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, તારા પતિને તું તારી સાથે લેતી જા જેથી પરિણીતાએ ના કહી હતી જે વાતને લઇ બંને ઝઘડો કરવા લાગ્યા હતા આ સમયે પતિએ અહીં મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ સાસુએ કહ્યું હતું કે, અમારા ઘરમાં તારે રહેવાનું નથી તને યાં સાં લાગે ત્યાં રહેજે. દિયરે કહ્યું હતું કે જો તું અમારી વાતો તારા માવતરને કહીશ તો તને જાનથી મારી નાખીશું. ત્યારબાદ સમાધાનના અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ સમાધાન ન થતા અંતે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે આ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech