લાલપુરમાં એલ.એલ.એ.મહેતા ક્ધયા વિદ્યાલય ખાતે યોગ સંવાદ

  • January 31, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્યક્રમમાં ૧૨૮ જેટલી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો

લાલપુર તાલુકામાં સ્થિત એલ.એલ.એ.મહેતા ક્ધયા વિદ્યાલયમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન તળે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોનના યોગ કો- ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન શુક્લ દ્વારા વિદ્યાર્થિનીઓને યોગ દ્વારા શરીરને સ્વસ્થ કેવી રીતે રાખવું, યોગ કરવાથી અધ્યયનમાં થતાં ફાયદા, પરીક્ષાના સ્ટ્રેસથી કેવી રીતે દૂર રહેવું, પોતાનું માનસિક સ્વાસ્થ્ય જાળવવું, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની માહિતી, યોગ ટ્રેનર્સ કેવી રીતે બનવું તેવી તમામ માહિતી સરળ ભાષામાં પુરી પાડવામાંં આવી હતી.  
આ ઉપરાંત કાર્યક્રમમાંં લાલપુર તાલુકાના ગામડામાં યોગ વર્ગનું આયોજન, રજિસ્ટ્રેશન પ્રોસેસ,  એપમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવું તે અંગે વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાંં આવી હતી. આ કાર્યક્રમમાં એલ.એલ.એ.મહેતા ક્ધયા વિદ્યાલયમાં આચાર્યા શ્રી જીજ્ઞાસાબેન પરમાર, જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ અને મોટી ગોપ માધ્યમિક શાળાના આચાર્ય એમ.ડી.મકવાણા તેમજ ૧૨૮ જેટલી વિદ્યાર્થિનીઓ હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application