કુસ્તીના ખેલાડીઓએ શરુ કર્યો એવોર્ડ વાપસીનો ટ્રેન્ડ, હવે વિનેશ ફોગાટ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ કરશે પરત

  • December 27, 2023 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુસ્તીના ખેલાડીઓએ એવોર્ડ વાપસીનો ટ્રેન્ડ શરૂ કરી દેવામા આવ્યો છે. જેમાં હવે વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પાછા આપી દેવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. જે દેશ માટે ખૂબ ચિંતાજનક વિષય છે. 


સાક્ષી મલિક, બજરંગ પુનિયા બાદ હવે સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પણ તેના ખેલ રત્ન-અર્જુન એવોર્ડ પાછા આપવાની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક લેખ લખીને તેના એવોર્ડ પાછા આપવાનું જાહેર કર્યું હતું. આ સાથે તેણે એક તાકાતવરને ટોણો પણ માર્યો હતો. 



વિનેશ ફોગાટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો ખેલ રત્ન પરત કરવાની માંગ કરી છે. આ પત્રમાં તેણે લખ્યું છે કે, "માનનીય વડાપ્રધાન, સાક્ષી મલિકે કુસ્તી છોડી દીધી છે અને બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કરી દીધું છે. દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતનારા ખેલાડીઓને આ બધું કરવાની ફરજ કેમ પડી? આખો દેશ જાણે છે અને તમે છો. દેશના વડા, તો આ મામલો તમારા સુધી પણ પહોંચ્યો હશે. વડાપ્રધાન, હું તમારા ઘરની દીકરી વિનેશ ફોગટ છું અને છેલ્લા એક સમયથી મારી જે હાલત છે તે તમને જણાવવા માટે આ પત્ર લખી રહી છું. 


સાક્ષીની કુસ્તીમાંથી વિદાય

વિનેશ પહેલા બજરંગ પુનિયાએ પણ આવી જ રીતે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. ત્યારે સાક્ષી મલિક કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂકી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application