જામનગરમાં આર્યસમાજ દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • June 10, 2023 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્યાવરણ શુદ્ધિ માટે યજ્ઞનું મહત્વ દર્શાવતો ફ્લોટ પ્રસ્તુત કરાયો
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આર્યસમાજ જામનગર દ્વારા પર્યાવરણ શુધ્ધિ માટે યજ્ઞનું મહત્વ દર્શાવતો ફ્લોટ સમગ્ર જામનગર શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલ હતો. આ યજ્ઞનું નિર્દેશન આર્યસમાજ જામનગરના અંતરંગ સદસ્ય જગદીશભાઈ મકવાણા, પ્રભુલાલભાઈ જે. મહેતા, સદસ્ય હર્ષાબેન જગદીશભાઈ મકવાણા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, પ્રાથમિક વિભાગના શિક્ષિકા બહેન નીલિમાબેન ત્રિવેદી તેમજ વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવેલ હતું. ઉપરોક્ત કાર્યક્રમનું માર્ગદર્શન આર્યસમાજ-જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી રામાણી મહેશભાઈ પટેલ, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલયના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા હેઠળ કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application