આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતા વર્ષે દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આજે (15 સપ્ટેમ્બર) રાજકીય ચાલ ચાલ્યા છે. જેમાં તેમણે કહ્યું કે તેઓ બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. આ દરમિયાન કેજરીવાલે માંગ કરી છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ નવેમ્બરમાં યોજવી જોઈએ. જો કે હવે ચૂંટણી પંચે આ અંગે સ્પષ્ટતા કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચનું કહેવું છે કે હાલમાં દિલ્હીમાં સમય પહેલા ચૂંટણી યોજવાની કોઈ શક્યતા નથી. કારણકે આટલા ઓછા સમયમાં અને સમય કરતાં વહેલા વિધાનસભાની ચૂંટણી યોજવી શક્ય નથી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં જ કરાવો
તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણ દરમિયાન કહ્યું, 'જો તમને લાગે કે હું ઈમાનદાર છું, તો મને મોટી સંખ્યામાં મત આપો. હવે હું ચૂંટાયા પછી જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ. ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ સમક્ષ માંગ કરતા કેજરીવાલે કહ્યું કે નવેમ્બરમાં મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી થવી જોઈએ, જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી પાર્ટીમાંથી કોઈ અન્ય વ્યક્તિ મુખ્યમંત્રી રહેશે. આગામી 2-3 દિવસમાં ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં આગામી મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે.
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની તારીખો હજુ જાહેર કરી નથી પરંતુ હરિયાણાની ચુંટણીની જાહેરાત થઈ ચૂકી છે.
જેલમાંથી છૂટ્યાના 2 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ભાષણ દરમિયાન મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હું આજથી બે દિવસ પછી રાજીનામું આપવા જઈ રહ્યો છું. કેજરીવાલે કહ્યું, "હું સીએમની ખુરશી પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું અને જ્યાં સુધી જનતા નિર્ણય નહીં આપે ત્યાં સુધી હું સીએમની ખુરશી પર બેસીશ નહીં." કેજરીવાલે કહ્યું કે, "હું લોકોની વચ્ચે જઈશ, દરેક ગલીમાં જઈશ, દરેક ઘરમાં જઈશ અને જ્યાં સુધી જનતા એવો ચુકાદો નહીં આપે કે કેજરીવાલ ઈમાનદાર છે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બે
સીશ નહીં."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech