આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતા વર્ષે દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આજે (15 સપ્ટેમ્બર) રાજકીય ચાલ ચાલ્યા છે. જેમાં તેમણે કહ્યું કે તેઓ બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. આ દરમિયાન કેજરીવાલે માંગ કરી છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ નવેમ્બરમાં યોજવી જોઈએ. જો કે હવે ચૂંટણી પંચે આ અંગે સ્પષ્ટતા કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચનું કહેવું છે કે હાલમાં દિલ્હીમાં સમય પહેલા ચૂંટણી યોજવાની કોઈ શક્યતા નથી. કારણકે આટલા ઓછા સમયમાં અને સમય કરતાં વહેલા વિધાનસભાની ચૂંટણી યોજવી શક્ય નથી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં જ કરાવો
તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણ દરમિયાન કહ્યું, 'જો તમને લાગે કે હું ઈમાનદાર છું, તો મને મોટી સંખ્યામાં મત આપો. હવે હું ચૂંટાયા પછી જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ. ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ સમક્ષ માંગ કરતા કેજરીવાલે કહ્યું કે નવેમ્બરમાં મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી થવી જોઈએ, જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી પાર્ટીમાંથી કોઈ અન્ય વ્યક્તિ મુખ્યમંત્રી રહેશે. આગામી 2-3 દિવસમાં ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં આગામી મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે.
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની તારીખો હજુ જાહેર કરી નથી પરંતુ હરિયાણાની ચુંટણીની જાહેરાત થઈ ચૂકી છે.
જેલમાંથી છૂટ્યાના 2 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ભાષણ દરમિયાન મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હું આજથી બે દિવસ પછી રાજીનામું આપવા જઈ રહ્યો છું. કેજરીવાલે કહ્યું, "હું સીએમની ખુરશી પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું અને જ્યાં સુધી જનતા નિર્ણય નહીં આપે ત્યાં સુધી હું સીએમની ખુરશી પર બેસીશ નહીં." કેજરીવાલે કહ્યું કે, "હું લોકોની વચ્ચે જઈશ, દરેક ગલીમાં જઈશ, દરેક ઘરમાં જઈશ અને જ્યાં સુધી જનતા એવો ચુકાદો નહીં આપે કે કેજરીવાલ ઈમાનદાર છે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બે
સીશ નહીં."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech