વિશ્વભરના દેશોમાં દરેક વ્યવસાય માટે જુદા-જુદા ડ્રેસ કોડ છે. જેમ કે ડોકટરો માટે સફેદ,વકીલ માટે કાળા રંગના કોટ છે. કોઈપણ કોર્ટ કેમ્પસમાં વકીલો હંમેશા કાળો કોટ પહેરીને ફરતા હોય છે. પરંતુ વધતી જતી આ ગરમીમાં કાળો કોટ કેમ ફેરી શકાય? કેમ કે કલા રંગના કપડામાં વધુ ગરમી લાગે છે. તાજેતરમાં આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. વકીલોમાં કાળો કોટ પહેરવાની શરૂઆત ક્યારથી થઇ?
વકીલો કોર્ટરૂમ અથવા તેમની ચેમ્બરમાં દરેક જગ્યાએ કાળો કોટ પહેરે છે. તેમની ઓળખ આ કાળા કોટથી જ થાય છે. વકીલોએ કાળા કોટ પહેરવાની શરૂઆત ઈંગ્લેન્ડથી થઈ હતી. ભારતીય ન્યાયતંત્ર બ્રિટિશ સિસ્ટમ પર ચાલે છે અને ભારતની અદાલતોમાં વકીલોનો કાળા કોટ પહેરવાનો નિયમ હજુ પણ ચાલુ છે. 1865માં ઇંગ્લેન્ડના રાજવી પરિવારે રાજા ચાર્લ્સ II ના મૃત્યુ પછી ન્યાયાધીશો અને વકીલોને કોર્ટમાં કાળા કપડાં પહેરવાનો આદેશ આપ્યો. જો કે વકીલોનો ડ્રેસ કોડ 1637માં પહેલેથી જ નક્કી કરવામાં આવ્યો હતો. જેના કારણે તે સામાન્ય લોકો કરતા અલગ દેખાતા હતા. ત્યારથી કોર્ટમાં કાળો કોટ પહેરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ભારતમાં વર્ષ 1961માં વકીલો માટે કાળો કોટ પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ ડ્રેસ કોડ વકીલોમાં શિસ્ત લાવે છે અને ન્યાયમાં તેમનો વિશ્વાસ વધારે છે.
એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ તેમની અરજીમાં કોર્ટને વિનંતી કરી છે કે વકીલોને ઉનાળાના મહિનાઓમાં કાળા કોટ અને ગાઉન પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે. પિટિશનમાં તેમણે કહ્યું છે કે ઉનાળાની વધતી જતી ગરમીમાં વકીલોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. અરજીમાં તેણે કહ્યું છે કે બ્લેક કોટ અને ગાઉન બ્રિટિશ ડ્રેસ કોડ તરીકે લાગુ કરવામાં આવ્યા હતા. તેનો અમલ કરતી વખતે દેશની આબોહવાને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં આઠમા ધોરણની સગીરા ઉપર રીક્ષામાં દુષ્કર્મ ગુજારનાર ચાલકને આજીવન કેદની પડી સજા
May 10, 2025 03:26 PMપોરબંદરવાસીઓને યોગ પ્રત્યે જાગૃત કરવા યોજાઇ વિશાળ બાઇક રેલી
May 10, 2025 03:25 PMબે સંતાનોને જન્મ આપ્યા બાદ કોઠારીયાના કિરણબેનનું મોત
May 10, 2025 03:24 PMઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની હેલિકોપ્ટર સેવા સ્થગિત કરાઈ
May 10, 2025 03:21 PMરંગબાઇ મંદિર સામે ૪૦ કરોડની કિંમતી જમીન પરનું દબાણ થયુ દૂર
May 10, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech