બે સંતાનોને જન્મ આપ્યા બાદ કોઠારીયાના કિરણબેનનું મોત

  • May 10, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુખે જન્મેલા જોડિયા બાળકોને જુવે એ પહેલા જ જનેતાએ હંમેશના માટે આંખ મીંચી લેતા જન્મતાની સાથે જ બે બાળકોએ મા નું વાત્સલ્ય ગુમાવ્યું છે.

કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા 32 વર્ષીય પરિણીતાએ મિરેકલ હોસ્પિટલમાં દીકરા દીકરીને જન્મ આપ્યા બાદ તબિયત લથડતા નીચેની હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર કારગત નીવડે પહેલા જ મોત નિપજતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.

બનાવની મળતી વિગત મુજબ શહેરના કોઠારીયા સોલવન્ટમાં રહેતા કિરણબેન ધર્મેશભાઈ વામજા (ઉ.વ.32)ના પરિણીતાને પ્રસુતિની પીડા ઉપડતા બાલાજી હોલ પાસે આવેલી મિરેકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં તેમની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી. કિરણબેનને દીકરા દીકરીને જન્મ આપ્યાના કલાકોમાં જ પોતાના ધબકારા ઘટવા લાગતા શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ હતી. આથી તાકીદે નીચે આવી બીજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. મૃતક કિરણબેનના પતિ ધર્મેશભાઈ ફાર્મસીનું કામ કરે છે. પ્રથમ ડિલિવરી દરમિયાન પરિણીતાનું મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application