દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રાજધાનીમાં આવેલા ભીષણ પૂરના મુખ્ય કારણોનો ઉલ્લેખ કર્યો છે. એલજીએ પત્રમાં દિલ્હી સરકારની કથિત ભૂલો પર પ્રકાશ પાડ્યો છે.
વર્ષ 2019માં હથિનીકુંડમાંથી 8.28 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. તે દરમિયાન ઓલ્ડ રેલ્વે બ્રિજ (ORB) પર યમુનાનું જળસ્તર 206.6 મીટરના આંકને સ્પર્શી ગયું હતું. જ્યારે આ વર્ષે માત્ર 3.59 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમ છતાં યમુનાનું સ્તર ORB ખાતે 208.66 મીટરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.
દિલ્હીમાં યમુના 44 કિમીના પટમાં છે. વજીરાબાદથી ઓખલા સુધીના 22 કિમી વચ્ચે યમુનાની અંદર 18 મોટા બ્લોકેજ છે, જેના કારણે પાણીનો મુક્ત પ્રવાહ અવરોધાય છે. ડીજેબી (દિલ્હી જલ બોર્ડ) પાસે વઝીરાબાદ બેરેજ ખાતે ડિસ્ચાર્જની ગણતરી કરવા માટે જૂનું અને ખોટું સ્તર આધારિત ડિસ્ચાર્જ કોમ્પ્યુટીંગ ટેબલ છે.
બ્રિજ બાંધકામ સાઇટ્સમાંથી સી-ડી અને કચરો સાફ ન કરવા માટે સરકારી વિભાગોની અવ્યાવસાયિક પ્રથા, જે યમુનાના મુક્ત પ્રવાહને અવરોધે છે. આ માનવસર્જિત અવરોધોને કારણે યમુનાના પાણીનો વેગ ઘણો ઓછો થયો અને પાણીનું સ્તર વધ્યું હતુ. જે લગભગ છ કલાક સુધી શહેરની હદમાં રહ્યો હતો. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી યમુનામાં મોટા પ્રમાણમાં કાંપ જમા થયો છે. આ જમા થયેલો કાંપ દૂર કરવામાં આવતો નથી.
દિલ્હી જલ બોર્ડે ડબ્લ્યુએચઓ બિલ્ડિંગની સામે ડ્રેન નંબર 12 ના મુખ પર પાણીની પાઈપલાઈન નાંખી હતી અને ત્યાં હાલના ડેમને તોડી પાડ્યો હતો. ડીજેબી દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે નદીનું પાણી નાળામાં પ્રવેશ્યું હતું અને રેગ્યુલેટર નંબર-12 નાળાના મુખ પર તૂટી પડ્યું હતું. જેના કારણે ડબ્લ્યુએચઓ, આઈટીઓ અને સુપ્રીમ કોર્ટની આસપાસના વિસ્તારોમાં પાણી શહેરમાં ઘુસી ગયા હતા.
વજીરાબાદ બેરેજનું અપસ્ટ્રીમ લેવલ ડાઉનસ્ટ્રીમ લેવલ કરતાં લગભગ 4 ફૂટ જેટલું ઊંચું હોવું જોઈએ, પરંતુ બેરેજની આસપાસ ભારે કાંપને કારણે બંને લેવલ હવે સમાન સ્તરે પહોંચી ગયા છે. ભારે કાંપને કારણે વજીરાબાદ જળાશયની જળ સંગ્રહ ક્ષમતામાં 93 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે યમુનાના જળસ્તરમાં ભારે વધારો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech