રાજકોટમાં વિધર્મીઓએ મચાવી ધમાલ : "ગણપતિની મૂર્તિ કેમ બનાવે છે" કહીને મૂર્તિકાર પર હુમલો

  • August 28, 2023 10:53 AM 

રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. ત્યારે ગોંડલ રોડ પર આવેલા રસુલપરામાં વીધર્મીઓએ ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગણપતિની મૂર્તિ બનાવનાર કારીગરો પર હુમલો કરી મૂર્તિ તોડી નાખવામાં આવી તેમજ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. બનાવને લઈને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. 


બનાવની વિગત અનુસાર મૂર્તિકાર કિશન રાઠોડ શનિવારે પરિવાર સાથે જમતા હતા તે દરમિયાન જ કેટલાક શખ્સો લોખંડના પાઇપ સાથે ધસી આવ્યા હતા અને આ વંડામાં તમે કેમ રહો છો અને ગણેશજીની મૂર્તિ કેમ બનાવો છો કહીને તોડફોડ કરી હતી. આ બાબતે સમજાવવા જતા મૂર્તિકાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા આરોપી અમીન ઉર્ફે ટકો, રફીક મનસુરી, સમીર ઉર્ફે બાપુડીની ધરપકડ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application