યુએસ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીને 1 કલાકના સંબોધનમાં લગભગ 10 વાર મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

  • June 23, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન, વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુએસ અમદાવાદ અને બેંગલુરુમાં બે નવા કોન્સ્યુલેટ ખોલશે. જ્યારે ભારત લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સિએટલમાં એક મિશન સ્થાપશે. અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ગયા વર્ષે સવા લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા.ભારતીય વિદ્યાર્થીઓનો આ વધારો આશરે 20 ટકા જેટલો ગણાવાઈ રહ્યો છે.ભારતીય વિદ્યાર્થીઓ છેલ્લા છેલ્લા કેટલાક વર્ષોમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટા વિદેશી વિદ્યાર્થી સમુદાય બની રહ્યો છે



અધિકારીએ કહ્યું કે, અમેરિકા બેંગલુરુ અને અમદાવાદમાં નવા કોન્સ્યુલેટ ખોલવા માંગે છે. જ્યારે ભારત અમેરિકાના સિએટલમાં તેનું કોન્સ્યુલેટ સ્થાપશે. આ ઉપરાંત, ભારત યુએસમાં અન્ય રાજ્યો અને શહેરોમાં નવા કોન્સ્યુલેટ સ્થાપવાની જાહેરાત કરવા પણ ઉત્સુક છે.



આ અધિકારીના જણાવ્યા મુજબ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ, 2023ના વર્ષના અંત સુધીમાં કેટલાક પિટિશન-આધારિત અસ્થાયી વર્ક વિઝાના સ્થાનિક નવીકરણ અંગે નિર્ણય લેવા માટે એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતના હાલમાં, અમેરિકામાં કુલ પાંચ દૂતાવાસ આવેલ છે. આ દૂતાવાસો ન્યુયોર્ક, શિકાગો,, સાન ફ્રાન્સિસ્કો, એટલાન્ટા અને હ્યુસ્ટનમાં આવેલ છે.



ભારતના પાટનગર દિલ્લીમાં આવેલ અમેરિકાની એમ્બેસી એ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશન પૈકીનું એક છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં અમેરિકાના ચાર વાણિજ્ય દૂતાવાસ આવેલ છે. જે મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં આવેલ છે. આ ચાર વાણિજ્ય દૂતાવાસની પ્રવૃત્તિઓ સાબિત કરે છે કે, યુએસ-ભારત સંબંધો કેટલા મજબૂત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application