જે થાય તે કાઢી મુકવા હોય તો કાઢી મુકે...બે મંત્રીઓની ગુસપુસ સોશિયલ મિડીયામા વાયરલ...

  • October 07, 2024 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ કર્મચારીઓના મામલે ગુજરાત રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા વચ્ચે થયેલો સંવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે બે સિનિયર મંત્રી પત્રકાર પરિષદ માટે ડાયસ પર બેઠા હતા દરમિયાન જગદીશ વિશ્વકર્માએ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ નું ધ્યાન દોર્યું હતું અને વડાપ્રધાન કાર્યાલય દ્વારા અહેવાલ માંગ્યો હોવાની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલી સદસ્યતા અભિયાનને ધ્યાનમાં રાખીને બંને મંત્રીઓ વચ્ચે વાતચીતનો દોર આગળ વધી રહ્યો હતો.


ખૂબ જ સાહજિકતાથી ચાલતી વાતમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા માંગવામાં આવેલા અહેવાલના  સદસ્યતા નોંધણીના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી દરમિયાન પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એવું સ્પષ્ટ બોલી ગયા હતા "જે થાય તે કાઢી મેલવા હોય તો કાઢી મેલે". આ મુદ્દો વાર્તા જગદીશ વિશ્વકર્મા બોલી ઉઠ્યા હતા કે પાર્ટી બેસતી જાય છે તેનું એનાલિસિસ ની વાત છે એમ હું કહું છું મોટાભાગની વિધાનસભામાં 30 થી 32 ટકાએ પહોંચી છે એનાથી શું સાબિત થશે?? એવો સવાલ પણ ઋષિકેશ પટેલે કર્યો હતો વિધાનસભા ક્ષેત્રમાં તેમને 90,000 જેટલા મત મળ્યા હતા તેમાંથી 50,000 જેટલા તેમણે સભ્યો બનાવી દીધા નો સંતોષ વ્યક્ત કરી દીધો હતો.આ સમગ્ર ગુસપુસ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application