શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપ્યા પછી શું થાય છે ?

  • May 29, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના ટીઆરપી ગેમઝોન સર્જાયેલી અિકાંડ જેવી દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે આવી દુર્ઘટના બનવા પાછળ કયા પરિબળો જવાબદાર અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેની તકેદારીમાં શું કરવું જોઇએ તેની સ્થાનિક સ્તરે વિચારણા કરવી જરી છે, રાજકોટમાં ગેરકાયદે બંધકામોને નોટિસો આપ્યા પછી થતી પ્રક્રિયાઓ આવી દુર્ઘટનાઓને આમંત્રિત કરે છે. અહીં સવાલ એ છે કે શહેરમાં ગેરકાયદે બાંધકામોને અપાતી નોટિસો બાદ ખરેખર શું થવું જોઇએ અને શું થાય છે ?
શહેરમાં ગેરકાયદે બાંધકામ થતું અટકાવવા માટે સૌપ્રથમ કલમ ૨૬૦ (૧)ની નોટિસ અપાઇ છે ત્યારબાદ કલમ ૨૬૦ (૨)ની નોટિસ અપાઇ છે છતાં પણ નિયંત્રિત ન થાય તેવા સંજોગોમાં અને કલમ ૨૬૭ હેઠળ મનાઇ હત્પકમ અપાય છે, જેવી નોટિસ અપાઇ કે તુરતં જ રાજકીય ભલામણોનો દોર શ થઇ જાય છે અને ત્યારબાદ કોઇ કાર્યવાહી થતી નથી. જો નોટિસ આપ્યા બાદ ખરેખર નિયમ મુજબ કાર્યવાહી થાય તો ગેરકાયદે બાંધકામોના માંચડા દૂર કરવાના થાય છે પરંતુ મોટાભાગના કિસ્સામાં આવું થતું હોતું નથી તે વાસ્તવિકતા છે. શહેરમાં દર વર્ષે આવી સેંકડો નોટિસો ઇસ્યુ થતી હશે પણ પગલાંઓ તો જૂજ સામે જ લેવાતા હશે, આવા કારણોસર જ તત્રં ધાક ગુમાવી રહ્યું છે. કાયદા, નિયમો અને નીતિઓ ખરેખર ખૂબ સારી છે પરંતુ જો તેનો પ્રજાહિતમાં અમલ થાય તો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application