અમરેલીઃ વડીયા સિંચાઈ યોજનાના ડેમનાં બે દરવાજા બે ફૂટ ખોલાયા, જેતપુરના ત્રણ ગામોને સાવેચત રહેવા સુચના

  • July 10, 2023 09:27 PM 

અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના વડીયા ગામ પાસે સુરવો નદી ઉપર આવેલ વડીયા સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ડેમનાં બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચારણીયા, ચારણ સમઢીયાળા અને થાણાગાલોળ ગામોનાં લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા મામલતદારશ્રી જેતપુરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application