વૃંદાવનઃ બાંકે બિહારી પાસે ઘરની બાલ્કની પડી, પાંચના થયા મોત

  • August 15, 2023 09:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંકે બિહારીમાં છેલ્લા બે દિવસથી લોકો એકત્ર થઈ રહ્યા છે. મંગળવારે પણ લોકોની ભીડ ઉમટી પડી હતી. ત્યારે વાંદરાઓના જૂથો વચ્ચેની લડાઈને કારણે આજે એક ઘરની બાલ્કની પડી જવાની ઘટના ઘટી હતી. જેમાં પાંચ લોકોના મોત થયા છે.


ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર પાસે વાંદરાઓના બે જૂથો વચ્ચેની લડાઈમાં એક ઘરની બાલ્કની પડી ગઈ છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે. બાલ્કની પડવાને કારણે છથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવામાં આવે છે. હાલ તો ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિષ્ણુ બાગના લોકોના ઘરની જર્જરિત બાલ્કનીના કારણે આ અકસ્માત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application