જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો માટે ટુ- વ્હીલર મોટર સાઈકલ પ્રકારના વાહનો માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીક્યુ અને જૂની તમામ ટુ- વહીલર સિરીઝના ગોલ્ડન, સિલ્વર નંબર- આમ બંને પ્રકારના ઈ- ઓકસનમાં ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા.૧૭.૭.૨૩થી ૧૯.૭.૨૩ તથા ઈ- ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૧૯.૭.૨૩થી ૨૧.૭.૨૩ રહેશે. આ ઈ- ઓકશનનું પરિણામ આગામી તા.૨૧.૭.૨૩ના બપોરે ૪ કલાકે જાહેર કરવામાં આવશે.
આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગ- ઈન કરીને વાહન ખરીદીના દિવસ- ૦૭ ની અંદર ઓનલાઇન સી. એન. એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલા સમયગાળા દરમિયાન ૧૦૦૦ ના ગુણાંકમાં વધારી શકશે. ઈ- ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.
પસંદગીના નંબર મળેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ- ૦૫ માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech