અમરેલી ખાતે આગામી 27મીના જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો

  • September 23, 2024 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર રાજયમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે. લાભાર્થીઓને એક સ્થળ પર લાભ મળી રહે તે માટે આગામી તા. 27ને શુક્રવારના રોજ અમરેલી ખાતે જિલ્લ ાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય કીટનું વિતરણ થશે.
જિલ્લ ાકક્ષા ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે જિલ્લ ા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. સુચારુ આયોજન માટે જિલ્લ ા કલેક્ટર અજય દહિયાએ દિશાદર્શન કર્યુ હતું. સંબંધિત કચેરીઓને સોંપવામાં આવેલી ફરજ અને કામગીરી તથા કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓ, આયોજન સુચારુ રીતે થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાની કામગીરી માટે દેખરેખ અને સંકલન સહિતની જવાબદારી અને ફરજ જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સી નિયામકબજાવશે.
કાર્યક્રમ સ્થળે પીવાનું પાણી, લાભાર્થીઓ-મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, વિવિધ યોજનાકીય સ્ટોલ્સ, પી.એમ.વિશ્વકમર્િ યોજનાનું રજિસ્ટ્રેશન કરવું, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક નિયમન, વાહન પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્ટેજ સંચાલન, જિલ્લ ા કંટ્રોલ રુમ અને તેમને સોંપવામાં આવેલી ફરજ અને કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પ્રાંત અધિકારીસહિતના અધિકારી-કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application