જામજોધપુર પંથક, કાલાવડ અને જામનગર શહેરમાં કમોસમી ઝાપટા: પાકને નુકશાન

  • May 14, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર પંથક, કાલાવડ અને જામનગર શહેરમાં કમોસમી ઝાપટા: પાકને નુકશાન

જામનગર શહેર સહિત કાલાવડ, જામજોધપુર તાલુકામાં ગઇકાલે મીની વાવાઝોડા સાથે જોરદાર વરસાદી ઝાપટા પડતાં ખેડુતોના પાકને ભારે નુકશાન થયું છે, આગાહી મુજબ ગઇકાલે બપોર બાદ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, શહેરમાં રાત્રે ૧૧:૧૫ વાગ્યે લગભગ ૧૫ મીનીટ સુધી વિજળીના ભારે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડતા લોકોને ગરમીથી થોડો હાંશકારો મળ્યો હતો, પરંતુ બાજરી, કેરી, જુવારના પાકને નુકશાન થયું હોવાનું પણ જાણવા મળે છે. ગઇકાલે ૫૦ કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાયો હતો.

જામનગર શહેરમાં ગઇકાલે રાત્રે વાતાવરણમાં ઓચીંતો બદલાવ આવ્યો હતો, અસહ્ય ઉકળાટ બાદ વિજળીના ભારે કડાકા-ભડાકા થયા હતાં અને ૧૧-૧૫ વાગ્યે ધીમી ધારે વરસાદ શ‚ થયો હતો, આ વરસાદ પડયો ત્યારે એવું લાગતું હતું કે, એકાદ ઇંચ જેટલો વરસાદ પડી જશે પરંતુ થોડીવારમાં વરસાદ બંધ થયો હતો અને રસ્તાઓ પણ ભીના થઇ ગયા હતાં, હજુ આજે આખો દિવસ વરસાદની આગાહી છે અને ગમે ત્યારે વરસાદ પડી શકે છે, કેટલાક ગામડાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. 

કાલાવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કાલાવડ શહેરમાં બપોરે ૪ વાગ્યા બાદ એકાએક પવન ફુંકાયો હતો અને ભર વૈશાખે અષાઢી જેવો માહોલ થયો હતો, થોડીવાર વરસાદી ઝાપટા પડયા હતાં, આજુબાજુના નિકાવા અને શીશાંગમાં પણ ભારે વરસાદી ઝાપટા પડયા હતાં. 

જામજોધપુર પંથકમાં પણ ગઇકાલે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો, વિજળીના કડાકા-ભડાકા સાથે શેઠવડાળા, સમાણા, નરમાણા, દલ દેવળીયા, બાવરીદડ અને સડોદરમાં વરસાદના ભારે ઝાપટા પડયા હતાં. થોડીવાર તો વિજળીના કડાકા-ભડાકા થયા હતાં, પરંતુ ત્યારબાદ વરસાદ બંધ થઇ ગયો હતો. 

કલેકટર કચેરીના ક્ધટ્રોલ ‚મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૫.૫, મહત્તમ તાપમાન ૩૬.૫, હવામાં ભેજ ૭૭ ટકા, પવનની ગતિ ૪૫ થી ૫૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી, ગઇકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુચનાથી ઇન્ચાર્જ મુખ્ય સચીવ સુનયના તોમરે જામનગરના કલેકટર સાથે પણ વાતચીત કરી અને વરસાદ પડે તો તંત્રને એલર્ટ રહેવા સુચના આપી હતી, એવી જ રીતે દેવભુમિ દ્વારકાના કલેકટરને એલર્ટ કરાયા હતાં. 

કમોસમી વરસાદને કારણે જુવાર, કેરી, બાજરીના પાકને નુકશાન થયું છે, જો કે તંત્ર દ્વારા તૈયાર થયેલા પાકને ઢાંકી દેવા અથવા સલામત સ્થળે ખસેડી લેવા સુચના આપવામાં આવી હતી જેને કારણે વધુ નુકશાન થયું ન હતું. આમ જામનગર શહેર સહિત અનેક તાલુકામાં વરસાદના કમોસમી ઝાપટા પડયા હતાં. 
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application