કરચલિયાપરા ખાતે સ્થાપિત થનાર અન્નપૂર્તિ ગ્રેઈન એટીએમની કામગીરીની માહિતી મેળવતા કેન્દ્રીય મંત્રી

  • September 02, 2024 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના સાંસદ તથા ભારત સરકારના ગ્રાહકની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર  નિમુબેન બાંભણીયા દ્વારા લોક હિતાર્થે અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ ભાવનગર ખાતે કરચલિયાપરા સ્થિત ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડીંગ ખાતે સ્થાપિત કરવામાં આવનાર છે. 
આગામી સમયમાં અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ના લોકાર્પણ થનાર હોય ભાવનગરના સાંસદ તથા ભારત સરકારના ગ્રાહકની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી  નિમુબેન બાંભણીયા, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, આગેવાન અભયસિંહ ચૌહાણ,  નરેશભાઈ મકવાણા, કલેક્ટર, કમિશ્નર, જિલ્લા પુરવઠા અધિકારી, સીટી મામલતદાર તથા સીટી એન્જીનીયર તથા અન્ય સ્ટાફ દ્વારા અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ના ઈન્સ્ટોલેશનની કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ની કામગીરીની વિગતવાર માહિતી ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સુમિત કુમાર (ઞગઠઋઙ) દ્વારા આપવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application