સતવારા સોશ્યલ ગ્રુપના હોદ્દેદારોની બિનહરીફ વરણી

  • July 03, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાર્ષિક સાધારણ સભા વર્ષ - 2024-25 છેલ્લા 33 વર્ષથી સામાજિક શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો થકિ સમગ્ર ગુજરાતનું ખુબજ નામાંકિત એવું સતવારા સોશ્યલ ગ્રુપ જામનગરની વર્ષ 2024-25 ની વાર્ષિક સાધારણ સભા તેમજ ઉજવણી કાર્યક્રમ તા. 30- 06-2024 ના રોજ બે ભાઈના ડુંગર ખાતે યોજવામાં આવેલ જેમા સમાજના આગેવાનો તેમજ જ્ઞાતિજનોએ સહપરિવાર ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેમજ તમામ હોદ્દેદારોની પ્રમુખ ડાહ્યાભાઈ ડી. સોનગરા,ઉપપ્રમુખ જીવનભાઈ એમ. નકુમ,મંત્રી પરસોતમભાઈ ડી. પરમાર,સહમંત્રી શ્યામભાઈ પી. કણજારિયા,ખજાનચી રમણિકભાઈ એમ. ચૌહાણ,સહખજાનચી દિલીપભાઈ કે. નકુમ બિનહરિફ વરણી કરવામાં આવેલ હતી.તેવું સતવારા સોશ્યલ ગ્રુપ જામનગરના પ્રમુખની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application