ગુરપતવંત પન્નુ કેસમાં કેનેડાની માફક અમેરિકાએ પોતાનો ટોન બદલ્યો અને કહ્યું કે ભારતે હત્યાના કાવતરામાં સામેલ લોકોની જવાબદારી નક્કી કરવી જોઈએ.તો બીજી તરફ ભારતે તેની તપાસનું આશ્વાસન પણ આપ્યું છે. ભારતે કહ્યું છે કે એક સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ગુરપતવંત સિંહ પન્નુની હત્યા માટે નવી દિલ્હીથી કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું અને તેમને મારવા માટે સોપારી આપવામાં આવી હતી. અમેરિકાએ આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે આ ગંભીર મામલો છે, તેની તપાસ જરૂરી છે.
અમેરિકાએ કહ્યું છે કે ભારત માટે ગુરપતવંત પન્નુ કેસમાં જવાબદારોને આગળ લાવવા જરૂરી છે. રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાયર્લિય વ્હાઇટ હાઉસે નવી દિલ્હીને અમેરિકન શીખ પન્નુની હત્યાના કાવતરા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા અપીલ કરી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જોન કિર્બીએ વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત વ્યૂહાત્મક ભાગીદાર છે.અમે આ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવી રહ્યા છીએ. તે પેસિફિકમાં ક્વાડનો સભ્ય છે. અમે તેમની સાથે ઘણી બાબતો પર નજીકથી કામ કરી રહ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે તે આ રીતે ચાલુ રહે.કિર્બીએ પન્નુની હત્યાના કાવતરાની ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર અસર અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, ભારત સાથે ભાગીદારી વધારવાની સાથે અમે આ આરોપોની ગંભીરતાને પણ ચોક્કસપણે સમજીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ માટે જવાબદાર લોકોને જવાબદાર ગણવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech