કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટમાં વધુ બે વ્યકિત માટે હૃદય રોગનો હત્પમલો જીવલેણ સાબિત થયો હતો. રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન કાચા કામના કેદીની તબીયત લથડયા બાદ બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે તેનું મોત થયું હતું. યારે રાજકોટ તાલુકાના બારવણ ગામની સીમમાં વાડીએ રહેતા યુવાનની રાત્રિના તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું બંને યુવાનોના મોત હાર્ટ એટેકથી થયા હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન જયંતીભાઈ રાયસંગભાઈ વનાણીયા(ઉ.વ ૪૩) નામના કેદી જેલમાં બેરક નંબર–૪ માં હતો ત્યારે સાંજે તેની તબિયત બગડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી આ કેદીને મૃત જાહેર કર્યેા હતો. બનાવને લઇ સુબેદાર જીેશભાઈ બારૈયાએ જરી કાર્યવાહી કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કેદી જયંતી વનાણીયા વીંછિયાના સનાળી ગામનો વતની હતો તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ત્રણ ભાઈના પરિવારમાં તે નાનો હતો. વર્ષ ૨૦૨૨માં તેની સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તે અહીં મધ્યસ્થ જેલમાં બંદીવાન હતો. આ કેદીનું મોત હૃદય રોગના હત્પમલાથી થયું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પ્ર.નગર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
યારે અન્ય એક બનાવમાં રાજકોટ તાલુકાના બારવણ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરનાર ગાંડુભાઇ શામજીભાઈ સાકરીયા(ઉ.વ ૪૦) નામનો યુવાન રાત્રિના વાડીએ પોતાના ઘરે જમીન પર સૂતો હતો. ત્યારે અચાનક તેને ગભરામણ થવા લાગતા બેભાન થઈ ગયો હતો. બાદમાં તેને પ્રથમ ગિરિરાજ હોસ્પિટલ ત્યારબાદ કુવાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો. યુવાનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે તે પાંચ બાઈ બે બહેનના પરિવારમાં સૌથી નાનો હતો. યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech