સિહોરની ફેક્ટરીમાં ધડાકો થતા બે શ્રમિકોના મોત

  • April 02, 2024 06:33 PM 

ભાવનગર જિલ્લાના ઘાંઘળી ખાતે આવેલી ફેક્ટરીમાં ભઠ્ઠી બ્લાસ્ટ થતા ત્રણ પરપ્રાંતિય મજુર ગંભીર રીતે દાજી જતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં બે શ્રમિકોના સર ટી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે સરકારી તંત્ર અને પોલીસ દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ઘાંઘળી જીઆઇડીસીમાં આવેલી વેગા એલાન્સ ફેક્ટરીમાં મોડી રાત્રે ૨ કલાક આસપાસ લોખંડનો રાસ ગલવાની ભઠ્ઠીમાં બ્લસ્ટ થતા રાસ છલકાયો હતો. અને ત્યાં કામ કરી રહેલા ત્રણ પરપ્રાંતિય મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. બનાવને પગલે ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે તાત્કાલિક ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં બે મજૂરોના મોત નીપજ્યા હતા. જ્યારે એકને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. ધાંધળી વેગા એલાન્સ નામની સ્ટીલ ફેક્ટરીમાં બનેલી ઘટનામાં લાલબાબુ તિવારી અને હરેન્દ્ર માનજી નામના બિહારના શ્રમિકના નિપજ્યા મોત થયા હોવાનું હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જ્યારે પ્રહલાદ પ્રસાદ નામનો મજૂર ગંભીર હાલતે સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા તંત્ર અને પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. અને આ ઘટનામાં સેફટી સહીતની તમામ બાબતો અંગે જાણકારી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application