હિરાસર એરપોર્ટમાં લગેજનું ઉઘરાણું કરતાં બે કર્મચારી ઝડપાયા: વિજિલન્સ તપાસ

  • September 02, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એરલાઇન્સ એજન્સીના બે કર્મચારીઓ લગેજ પેટે પેસેન્જર પાસેથી પિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ થતાં એર લાઇન્સ દ્રારા એજન્સીના આ બંને કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવ્યા હોવાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ છે.
આ અંગેની જાણવા મળતી વિગત, થોડા સમય અગાઉ પેસેન્જર પાસેથી પિયા ઉઘરાવી નિયમ અનુસારના નિર્ધારીત સામાન કરતા વધુ સામાન લગેજમાં જવા દીધો હતો. ત્યારે આ ઘટના સામે આવી ન હતી ત્યારબાદ એરઇન્ડિયાની લાઈટમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર સાથે આ ઘટના બની હતી જે બે મહિના બાદ બહાર આવી છે.
એર ઇન્ડિયા એરલાઇન્સની ગ્રાઉન્ડ હેન્ડલિંગ એરપોર્ટ સર્વિસ એજન્સીનાં બે કર્મચારીઓએ પેસેન્જર પાસેથી વધારે સામાનના ૮૦૦૦ ઉઘરાવ્યા હતા.
આ બાબતની જાણ એર ઇન્ડિયા ને થતા એરલાઇન્સ દ્રારા વિજિલન્સ તપાસ ચલાવવામાં આવી રહી છે. જેમાં સમગ્ર વિગતો બહાર આવી અને આખરે આ બંને કર્મચારીઓ સામે એજન્સી પગલા લેશે.
હીરાસર એરપોર્ટ કંઈક ને કંઈક કારણથી ચર્ચાના કેન્દ્રમાં રહે છે. અગાઉ પણ એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ વર્ક કર્મચારીઓની ભરતીમાં પણ અનેકો ફરિયાદો ઊભી થઈ હતી. ત્યારબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ની નામના ધરાવતા એરપોર્ટમાં એરઇન્ડિયા જેવી પ્રતિિત એરલાઇન્સ પેસેન્જર પાસેથી પિયા ઉઘરાવવાની બનાવથી એરપોર્ટની પ્રતિા સામે પ્રશ્ન ઊભા થયા છે.
એરઇન્ડિયા એ પણ આકં વલણ અપનાવી બંને કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી કરતા કર્મચારીગણમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application