બગસરા પાલિકાની ઘોર બેદરકારીથી બે ગાયના મોત: માલધારીને ઇજા

  • September 02, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરા નગરપાલિકા દ્રારા સ્ટ્રીટ લાઈટ ફીટીંગ વખતે રાખવામાં આવતી બેદરકારીને પગલે બગસરામાં બે ગાયોના મોત નીપયા હતા તેમજ માલધારીને પણ વીજ કરટં લાગ્યા બાદ માંડ બચ્યા હતા.
બગસરા નગરપાલિકા દ્રારા સ્ટ્રીટ લાઈટ ફીટીંગમાં વાયરના જોડાણ વખતે ત્યાં ટેપ લગાડવામાં આવતી ન હોવાની ફરિયાદ અનેક વખત કરવામાં આવેલ છે પરંતુ આ ટેપ ના લગાડેલ હોવાથી બગસરાના નદીપરા વિસ્તારમાં નનુભાઈ રૈયાભાઈ ભરવાડને ત્યાં બે ગાયો વાડામાં બાંધેલી હતી. જે વાડાના લોખંડના દરવાજા સાથે સ્ટ્રીટ લાઇટનો વીજવાયર સંપર્કમાં આવતા વાડામાં રહેલ બંને ગાયોના વીજ કરંટથી મોત નીપયા હતા. આ બાબતે કંઈક અજબ તો બન્યું હોવાની શંકાથી નાનુભાઈ પોતે વાડામાં આવતા હતા તે સમયે તેમને પણ વીજ કરટં લાગતા દુર ફંગોળાયા હતા. જોકે તેમનો આકસ્મિક બચાવ થયો હતો. બગસરા નગરપાલિકા દ્રારા સ્ટ્રીટ લાઇટના વીજવાયરોની ચકાસણી કરી યાં જર હોય ત્યાં તાત્કાલિક ટેપ લગાડી સમારકામ કરવામાં આવે તે જરી છે. જેથી આવા અબોલા પ્રાણીઓના જીવ બચાવી શકાય આ ઉપરાંત એક ગાય તેમાં બે જીવ હતી એટલે તેમાં ત્રણ જેવું શોર્ટથી ગુમાવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application