અધેવાડા ગામ નજીક વળાંકમાં નાળા પરથી રોડ છોડી ટ્રક નદીમાં ખાબક્યો

  • May 19, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેર નજીકના  અધેવાડા ગામના પાસે આવેલા અને લાંબા સમયથી બિસ્માર બનેલા નદીના નાળા પરથી તેજ ગતીએ પસાર થઈ રહેલા ટ્રકના ચાલકે કોઈપણ કારણોસર ગુમાવતા ટ્રક રોડ છોડી સીધો નદીમાં ખાબક્યો હતો. ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા., ઉલ્લેખનીય છે કે ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા અધેવાડા ગામ નજીક વળાંકમાં આવેલ નદી પર વર્ષો પૂર્વે બનેલ નાળુ લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોય અને બંને સાઈડ દીવાલ પણ  નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
ત્યારે મોડી રાત્રિના સમયે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક નાળાની નીચેની સાઈડ ઉતરી ગયો હતો. અને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.  નદી પર ના જર્જરીત બનેલા પુલનું કામ સત્વરે હાથ ધરવામાં આવે તેવી માંગ થઈ થઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application